પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં આવેલ ગિરિમાળ ધોધનો નયનરમ્ય નજારો

August 11, 2024
પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં આવેલ ગિરિમાળ ધોધનો નયનરમ્ય નજારો

પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં આવેલ ગિરિમાળ ધોધનો નયનરમ્ય નજારો..! #GujaratNature

Posted by CMO Gujarat on Saturday, August 3, 2024

Bird trainer at Khergam, Unchabeda (Vad ): Anup Patel

August 08, 2024

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

August 07, 2024

 Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે. 

ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે. 

શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં.

ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્રીમતી માલાબેન થોરાટને એવોર્ડ મળતા   ડાંગ જિલ્લા શિક્ષણ તંત્રએ તેઓને અભિનંદન પાઠવ્યા હતાં. 


ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

August 04, 2024

                    

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

બાલાસિનોરથી રૈયોલી જતા પોતાનો કોન્વોય રોકાવીને મોડેલ સ્કૂલના બાળ વિદ્યાર્થીઓને મળ્યા. 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક તાદ્રશ્ય ઉદાહરણ તેમણે મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન પૂરૂ પાડ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.

#gujaratinformation#CMO#GOGConnect#BhupendraPatel#mahitigujarat






Ahwa|Dang: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો સ્વાંતંત્ર્ય પર્વ :

August 04, 2024

  Ahwa|Dang: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો સ્વાંતંત્ર્ય પર્વ  :

વઘઇ તાલુકાનો કાર્યક્રમ ભદરપાડા અને સુબીર તાલુકાનો કાર્યક્રમ મોખામાળ ગામે યોજાશે

પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના હસ્તે કરાશે ‘ધ્વજવંદન'

(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૪: ડાંગ જિલ્લામાં આગામી ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, મુખ્ય મથક આહવા ખાતે આયોજિત કરાયો છે. જેમાં મુખ્ય મહેમાન કરીકે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહી ‘ધ્વજવંદન' કરશે. 


જ્યારે વઘઇ તાલુકાનો કાર્યક્રમ ભદરપાડા અને સુબીર તાલુકાનો કાર્યક્રમ મોખામાળ ગામે યોજાનાર છે. 

આ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું. 

જેમાં જિલ્લા કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, માહિતી વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ તેમજ આહવા, વઘઇ અને સુબિર તાલુકાના ત્રણેય મામલતદારશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને, કાર્યક્રમની કામગીરી ના આદેશ કર્યા હતા. કાર્યક્રમ સંદર્ભે તેમજ સંકલનમાં રહીને કામગીરી કરવા જણાવ્યું હતું. 

આ બેઠક બાદ કલેક્ટરશ્રી સહિત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયાએ, સંબંધિત અધિકારીઓ સાથે કાર્યક્રમના સ્થળની મુલાકાત કરી હતી. 

સ્વાતંત્ર્ય પર્વ અગાઉ તારીખ ૧૦ ઓગસ્ટ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા‘ કાર્યક્રમ પણ યોજાનાર છે. આ કાર્યક્રમ સંબંધિત ચર્ચા પણ બેઠકમાં કરવામાં આવી હતી. 

બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી  યશપાલ જગાણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબીયાર, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલીયા સહિતના જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી

August 03, 2024

  Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી 


જિલ્લાના નાગરિકોએ પોતાની બેંક કે અન્ય નાણાંકીય બાબતની વિગતો મોબાઇલ પર કોઇપણ વ્યક્તિને આપવી નહીં : ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો કે ફેક આઇ.ડી.થી ચેતો...... જિલ્લા પોલીસ વડાશ્રી

ગાંધીનગર જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકોને રૂ. ૫૬ લાખથી વધુની રકમ પરત અપાવી

ગાંધીનગર: શુક્રવાર: 

 રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડાક સમયથી સાયબર ક્રાઇમનો ભોગ સરળતાથી નાગરિકો બનતા હોય છે. નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બને તો તરત જ  ગાંધીનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસનો અથવા ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું છે. 

 જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ સામાન્ય નાગરિકોને બેંક, પોલીસ, ઇન્કમટેક્ષ કે અન્ય વિભાગમાંથી બોલું છું, કહી તેમની પાસેથી નાણાંકીય બાબતોની વિગતો વાતવાતમાં લઇ લેતાં હોય છે. કયારેક લીંક કે અન્ય રીતે સામાન્ય નાગરિકો પાસેથી બેંકની વિગતો મેળવી લેતાં હોય છે. આવી અનેક રીતે સામાન્ય નાગરિકો સાથે સાયબર ક્રાઇમની ઘટના બનતી હોય છે. તેની સાથે વિડિયો કોલના માધ્યમથી ફોટોગ્રાફ કે અન્ય વિડિયો વોટૂસએપ કરીને ઘાકઘમકીથી નાણાં માંગતા હોય છે. આવી ઘટના બન્યા પછી સામાન્ય નાગરિક મનોમન મુંઝાતો રહે છે, અમુક કિસ્સાઓમાં નાગરિક આ ઘટના અંગે પોલીસને મોડી જાણ કરતો હોય છે. તેની સાથે ઈન્વેસ્ટમેન્ટ કરી લોભામણી સ્કીમો કે ફેક આઇ.ડી થકી લોકો પાસેથી આવા તત્વો નાણાં પડાવી લેતાં હોય છે. મોબાઇલ પર કોઇની વાતમાં ન આવવાનો પણ જિલ્લા પોલીસ વડાએ અનુરોધ કર્યો છે.  


 તેમણે ઉમેર્યું છે કે, સાયબર ક્રાઇમની ઘટનાનો ભોગ બનનાર નાગરિકો જેટલી ઝડપી પોલીસ કે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરશે, તેટલી ઝડપી આ ઘટનાનો ઉકેલ મેળવી શકાશે. નાગરિકો આ ઘટનાની જાણ રાજયના પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર- ૧૯૩૦ પર કરીને પણ કરી શકો છે. 

 સાયબર ક્રાઇમની માહિતી આપતાં ડી.વાય.એસ.પી. શ્રી આર.આઇ. દેસાઇએ જણાવ્યું છે કે, ગુજરાત રાજયમાં સાયબર ક્રાઇમ થકી લોકો પાસેથી રૂ. ૧૧૪ કરોડ કરતાં વધુ રકમ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા પડાવી લેવામાં આવી છે. પરંતુ ઘટના બને તેના અમુક સમય મર્યાદામાં પોલીસને જાણ ભોગ બનનાર વ્યક્તિઓએ કરી છે. તેમાંથી મોટા ભાગના લોકોને નાણાં પોલીસ તંત્ર દ્વારા પરત અપાવામાં આવ્યા છે. જૂન- ૨૦૨૪ સુધીમાં ૪૬ ટકા એટલે કે રૂ. ૫૩ કરોડથી વધુની રકમ ભોગ બનનાર નાગરિકોને રાજયના સાયબર ક્રાઇમ સેલ દ્વારા પરત અપાવવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં પણ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિઓના રૂ. ૫૬ લાખ જેટલી રકમ પરત અપાવવામાં આવી છે. 

 તેમણે નાગરિકોને જણાવ્યું છે કે, સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકોએ તુરંત પોલીસનો સંપર્ક કરવો, જેથી આ પ્રકારની ધટનાનું નિર્માણ કરતાં વ્યક્તિઓને પકડી શકાય. તેમજ મોબાઇલ પર પોતાની કોઇપણ પ્રકારની બેંક એકાઉન્ટ કે અન્ય નાણાંકીય વિગત ન આપવા પણ જણાવ્યું છે. કોઇપણ વ્યક્તિ દ્વારા પોલીસ, બેંક કે ઇન્કમટેક્ષ વિભાગમાંથી બોલું છું, તેવું કહી વિગતો માગે તોતે મોબાઇલ નંબરની જાણ પણ ઝડપથી ગાંધીનગર જિલ્લા પોલીસના સાયબર ક્રાઇમના ટોલ ફ્રી નંબર કે રૂબરૂ કરવા જણાવ્યું છે. 

જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

July 28, 2024

Valsad,Navsari,Dang News paper updates  :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara, 




Powered by Blogger.